ગીર સોમનાથ-

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક આગામી 11મી જાન્યુઆરીના દિવસે મળવા જઈ રહી છે. જેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને અંબુજા ગ્રુપના હર્ષવર્ધન નીયેટીયા સહિત તમામ ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાશે. શક્યતાઓ એવી પણ વ્યક્ત થઈ રહી છે કે, આગામી ૧૧મી તારીખે સોમનાથ ટ્રસ્ટને નવા પ્રમુખ મળી શકે છે.ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ પટેલનું થોડા મહિના અગાઉ દુઃખદ નિધન થયું હતું. ત્યારથી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખનો હોદ્દો ખાલી જોવા મળે છે, ત્યારે આગામી સોમવાર અને 11 તારીખના દિવસે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ પૈકી કોઇ એકને સોમનાથના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક આગામી 11મી જાન્યુઆરીના દિવસે મળવા જઇ રહી છે. જેમાં સ્વ કેશુભાઈ પટેલની જગ્યા પર સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે ટ્રસ્ટી પૈકી કોઈ એકની પસંદગી થઇ શકે છે. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને અંબુજા ગ્રુપના હર્ષવર્ધન નીયેટીયા સહિત કેટલાક ટ્રસ્ટીઓ ટ્રસ્ટી મંડળમાં સામેલ છે. જે પૈકીના લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયેટીયાની પસંદગીની શક્યતાઓ જોવા મળી રહી છે.