અમદાવાદ-

અમરાઈવાડી વિસ્તારમાં એક સંયુક્ત પરિવારમાં રહેતા રમીલાબેન પટેલ તેમના પતિ અને બે દીકરાઓ સાથે રહે છે, જાણવા મળે છે કે તેમના મોટા દીકરા પ્રદીપના લગ્ન અમરાઈવાડીની નીતા નામની યુવતી સાથે વર્ષ 2004 માં કરવામાં આવ્યા હતા, તેમનો સંસાર પણ સુખેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારબાદ તેમના ઘરે બે પુત્રોના જન્મ પણ થયા હતા, તેવામાં અચાનક એક દિવસ નીતાબેન તેમના બે પુત્રોને લઈને પતિ પાસે ખાધાખોરાકી માંગીને અલગ રહેવા જતી રહી, નીતાબેન જ્યાં રહેવા ગઈ તે પણ તેની સાસુનું જ બીજું મકાન હતુ, એક વખત સાસુએ તેના દીકરાની વહુને તેના ઘરે જઈ ને કહ્યું કે ભાડવાત પાસે મકાન ખાલી કરાવી દેજે અમે અહિયાં રહેવા આવી રહ્યા છે, તે બાબતે નીતાબેનને સાસુ સાથે બોલાચાલી થતા તેણીએ તેની સાસુને માર માર્યો હતો, ત્યારે પાડોશીઓએ રમીલાબેનને બચાવીને છોડાવ્યા હતા, સાસુએ આ માટે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ નીતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.