વર્ષ ૨૦૨૦ કોઈપણ અર્થમાં લોકો માટે સારું રહ્યું નથી. કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે પણ આ વર્ષ ખરાબ રહ્યું છે. બોલીવુડના મોટા સ્ટાર્સના નિધન બાદ હવે સાઉથ ઈન્ડસ્ટ્રીઝના સ્ટારે પણ તેમનો એકટર ગુમાવ્યો છે. આ વર્ષે વધુ એક ફિલ્મી સ્ટારનું નિધન થયું છે. સાઉથના અભિનેતાનું નામ ચિરંજીવી સારજા હતું. ૩૯ વર્ષીય યુવા અભિનેતાએ નાની ઊંમરે મોત થયું છે. ૭ જૂને અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રિપોટ્‌ર્સ અનુસાર અભિનેતાને શ્વાસોચ્છ્‌વાસની તકલીફ હતી અને તે બેંગાલુરુના જયનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં અભિનેતાનું અવસાન થયું. તેના અવસાનથી દક્ષિણ ઉદ્યોગને આઘાત લાગ્યો છે. ચિરંજીવી સારજાના નિધનથી ફિલ્મ જગતના તેમના ચાહકો અને સાથીદારો માટે મોટો આંચકો આવ્યો છે. આટલી નાની ઉંમરે અભિનેતાના અવસાનથી બધાને દુઃખ થયું છે. અને સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતા પરિણીત હતો અને તેની પત્નીનું નામ મેઘના રાજ હતું. તે અભિનેતા ધ્રુવ સારજાનો મોટા ભાઈ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્શન કિંગ અર્જુન સારજાનો ભત્રીજો હતો. તે કન્નડ સિનેમાના પીઢ અભિનેતા શક્તિ પ્રસાદનો પૌત્ર હતો. અભિનેતાના નિધનથી સાઉથ ઇન્ડસ્ટ્રી પણ દુઃખી છે. અભિનેત્રી પ્રિયામિની, અભિનેતા વિલાસ નાયક અને ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિલાસ નાયકે લખ્યું- ચિરંજીવી સારજાના અવસાનના સમાચારથી હું ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છું. તેનું મોત થયું એ યકિન નથી માની રહ્યો.