વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ વેપાર ઉદ્યોગવાળાઓએ કોરોનાની વધતી જતી મહામારીને લઈને સાંજના ચાર વાગ્યે વેપાર ઉદ્યોગ બંધ કરવાનો સામુહિક રીતે નિર્ણય લીધો હતો.કોરોનાનું સંક્રમણ વધતા લેવાયેલા આ નિર્ણયનો આજથી કડક અમલ શરુ કરાયો હતો.જેને લઈને છાણી ગામના તમામ બજારો ઉપરાંત લારી ગલ્લાવાળાઓએ તેમજ અન્ય તમામ નાના મોટા વેપારીઓ દ્વારા ચાર વાગે વેપાર આટોપી લઈને દુકાનોના શટર પાડી દીધા હતા.આને કારણે છાણી ગામમાં જાણે કે કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય એવો નજારો જોવા મળ્યો હતો.