ન્યૂ દિલ્હી-

નાગપુરના વરિષ્ઠ રમત-ગમત પત્રકાર રુચિર મિશ્રા ૧૦ દિવસ સુધી કોવિડ-૧૯ સામે લડ્યા બાદ અવસાન પામ્યા. મિશ્રા ૪૨ વર્ષના હતા અને તેના પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકો છે. મિશ્રા એક દાયકાથી વધુ સમયથી ક્રિકેટના સંવાદદાતા તરીકે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના નાગપુર સંસ્કરણ સાથે સંકળાયેલા હતા. તેમણે મુખ્યત્વે મધ્ય પ્રદેશમાં ઘરેલું ક્રિકેટ પર લખતા હતા. ભારતના વરિષ્ઠ ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, પૂર્વ ટેસ્ટ ઓપનર વસીમ જાફર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર ફિલિપ ડેફ્રેટસે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.