શ્રીલંકા ક્રિકેટ (SLC) 8 થી 22 ઓગસ્ટની વચ્ચે તેની પ્રથમ ટી 20 લીગ યોજવાની આશા રાખે છે, કેમ કે સરકારે કોવિડ -19 રોગચાળાને કારણે દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરીથી ખોલવાની તારીખ 1 ઓગસ્ટ સુધી લંબાવી છે. ટુર્નામેન્ટના આયોજન માટે રમત મંત્રાલય તરફથી SLC ને લીલી ઝંડી મળી છે.

શ્રીલંકા પ્રીમિયર લીગ (SLC) નું ભવિષ્ય દેશની સરહદો ખોલવાના સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે. શ્રીલંકાના ક્રિકેટ સચિવ એશ્લે ડીસિલ્વાએ ESPNcricinfo ને કહ્યું, અમે મહામહિમ (રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે) સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યા છીએ અને જુઓ કે આપણે કોઈ નિષ્કર્ષ પર પોહચીએ છે કે નહિ. તેમણે કહ્યું, 'શ્રીલંકાએ આ ક્ષેત્રના અન્ય દેશોની તુલનામાં કોરોના વાયરસને રોકવા માટે ખૂબ જ સારું કામ કર્યું છે અને તેથી વિદેશી ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવામાં રસ દાખવી રહ્યા છે. 

શ્રીલંકામાં કોરોના વાયરસના 2000 થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં 1700 થી વધુ સ્વસ્થ બન્યા છે. ફ્રેંચાઇઝી આધારિત શ્રીલંકા પ્રીમિયર લીગમાં પાંચ ટીમો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ટૂર્નામેન્ટનો સમયગાળો ભારત પ્રવાસ પર નિર્ભર રહેશે જે હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે. બંને બોર્ડ ઓગસ્ટમાં તેનું આયોજન કરવાના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. 

શ્રીલંકાના ક્રિકેટ સચિવ એશ્લે ડીસિલ્વાએ ESPNcricinfo ને કહ્યું, 'અત્યારે અમે ટૂર્નામેન્ટમાં 23 મેચોનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ જો ભારત રમવા માટે તૈયાર થઇ જાય છે તો અમે 13 મેચનું આયોજન કરીશું.