ભરૂચ

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્ક્રૂત જન શિક્ષણ સંસ્થાન, ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ લઘુતમ આવક મને ઓછું ભણેલા બહેનો માટે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કર્યું છે.બહેનો પાસેથી કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. આ વર્ગમાં પણ શિક્ષણ સંસ્થાન ભરૂચના નિષ્ણાત તજજ્ઞો તેમજ ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ આપવામાં આવશે. આજરોજ આ તાલીમ કેન્દ્ર નું ઉદઘાટન સુરભીબેન તમાકુવાલા માજી પ્રમુખ ભરૂચ નગરપાલિકા અને જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી પ્રતિક્ષાબેન પરમાર દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના લાઇવલીહુડ ફિલ્ડ કોર્ડીનેટર શીતલબેન ભરૂચ તથા રિસોર્સ પર્સન ક્રિષ્નાબેન કટોડીયા અને આશાબેન દરબાર તથા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ સંગીતાબેન ધોરાવાલા સહિત અન્ય મહાનુભાવો તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંસ્થાના નિયામક ઝયનુલ ઓબેદ્દીન સૈયદના હેઠળની ગાઈડલાઈન્સના નીતિ નિયમોના અમલ સાથે શરૂ થયો હતો.