ખંભાળીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ આયોજિત દ્વારકાધીશ ધ્વજારોહણ કાર્યક્રમમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા અનેક મંત્રીઓ, આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.દ્વારકા આહીર સમાજથી હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ગોમતી ઘાટ પાસેના રીલાયન્સના સુદામા સેતુ પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાધીશની ધ્વજનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થયું હતું. તે પછી સાંજે પાંચ વાગ્યે ધ્વજારોહણ થયું હતું જેમાં કાર્યકરો જનમેદની ઉમટી પડી હતી.ધ્વજારોહણ પછી ૨૧ ખુલ્લી જીપમાં આગેવાનો સાથે સી.આર. પાટીલ, રઘુભાઈ હુંબલ, દ્વારકા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ તથા મંત્રીઓ કાર્યકરો શહેરમાં નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં બ્રાહ્મણ, વાઘેર,રાજપૂત, લોહાણા, સતવારા,રબારી, સોની, ભરવાડ વગેરે ૨૬ જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સ્મૃતિ ભેટો સાથે થયું હતું .કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણ જગાડનાર તથા વિશિષ્ટ રીતે ૨૧૦૦ યુવાનોએ ભારત દેશ વિશે રાષ્ટ્રપ્રેમથી કટિબધ્ધ થવાનો સંકલ્પ લીધો હતો. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ તથા ૧૫૦ વેદપાઠી બ્રાહ્મણો જાેડાયા હતા.