પ્રજાસત્તાક પર્વ-

દાહોદમાં નવજીવન કોલેજના કેમ્પસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેડની સલામી લીધી હતી અને ધ્વજ વંદન કર્યું હતું. પરેડમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. નોંઘનિય છે કે, આવર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે.

આ અવસરે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. અહી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે આ ભાજપ મુખ્યાલયે પહેલીવાર તેમણે ધ્વજવંદન કર્યુ હતુ. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે અમદાવાદના સંઘ કાર્યાલયે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.72માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમણે અહી ધ્વજવંદન બાદ ઉદ્દબોધન પણ કર્યુ હતુ.