દિલ્હી-
સંસદ ભવનની બહાર સ્થિત મહાત્મા ગાંધીની ધ્યાનમાં કેન્દ્રિત પ્રતિમાને તેની જગ્યાએથી અસ્થાયી રીતે હટાવવામાં આવશે. સરકારના અધિકારીઓ અનુસાર નવા સંસદ ભવનના નિર્માણ માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ધ્યાન મુદ્રા ધરાવતી પ્રતિમાને કેટલાક દિવસ માટે હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવા સંસદ ભવનના નિર્માણ માટે તેને એક મુખ્ય સ્થાન આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સંસદ ભવનના ગેટ નંબર એક સામે સ્થાપિત બાપુની આ મૂર્તિ આગળ બેસીને જ સાંસદો દ્વારા સત્યાગ્રહના અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવાની પરંપરા રહી છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલોના મંત્રાલય અને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના અધિકારીઓ અનુસાર, વર્તમાન ધરોહર ઢાંચા પાસે આવેલા નવા સંસદ ભવનનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. અધિકારીઓએ કહ્યુ કે કામ શરૂ થયા પહેલા ગાંધી પ્રતિમાને સંસદ ભવનના ગેટ નંબર-૧ સામે પોતાના વર્તમાન સ્થાનથી હટાવવી પડશે.
એક અધિકારી અનુસાર, ૨૨ મહિનાના નિર્માણ દરમિયાન સંસદના નવા ભવનને સાઉંડ-પ્રૂફ કરવામાં આવશે. બીજી તરફ પ્રતિમા નવા વિધાયી એન્કલેવમાં પ્રતિમાનું અંતિમ સ્થાન નક્કી કરવામાં આવ્યુ હતું. બીજી તરફ પ્રતિમા સ્થળાંતરિત કરવાનો ર્નિણય અસ્થાયી રીતે લોકસભા અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે અને પ્રતિમા સ્થળાંતરિત કર્યા બાદ જ તેનું નિર્માણ શરૂ થશે. ગાંધીની ૧૬ ફૂટ ઉંચી પ્રતિમા આગંતુકોને સંસદ ભવન સુધી લઇ જાય છે અને સાંસદોના જમાવડા, વિરોધ પ્રદર્શન અને પ્રેસ વાર્તાનું સ્થળ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments