ગાંધીનગર, રાજય સરકાર દ્વારા શાળા અને કોલેજાે શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. આજથી ધો.૧૦ અને ૧૧ના બાળકોનો અભ્યાસ શરૂ થશે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર ર્નિણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્ત પત્ર આપવો પડશે. ધોરણ-૯-૧૦-૧૧-૧૨દ્ગક્ન વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જાે કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.

ધોરણ ૧૦ અને ૧૨ તથા પોસ્ટ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટનું શિક્ષણ ચાલુ કરવાનો ર્નિણય કરાયો છે. આ ર્નિણય ગુજરાત રાજયના તમામ બોર્ડ, ર્સ્વનિભર, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. તો સાથે જ ધોરણ ૩ થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. આ અંગે કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે વિચાર કર્યો. તમામ એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. ત્યારે શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.

સીધી રીતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત નકારી કાઢી છે. જાેકે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાનું મરજિયાત કરાયું છે. સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓની સહમતિ બાદ સ્કૂલમાં આવવા દેવાશે. આમ, સરકારના આ ર્નિણયની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી. ગુજરાત સરકારના આ ર્નિણયથી ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજ ખૂલશે. માસ પ્રમોશન અંગે જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, જેટલુ ભણાવીશું તેની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. ગુજરાતમાં બોગસ ડિગ્રી અંગે કોઈ પણનો પણ કયાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. દરેક યુનિવર્સિટીમાં તપાસ કરી છે. તપાસ ચાલુ છે. જાે કોઈ કસૂરવાર હશે તો સખતમાં સખત પગલા લેવાશે. 

બોર્ડની પરીક્ષામાં દસ હજાર વધારાના વર્ગખંડો જાેઈશે

ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડને વધારાના ૧૦ હજાર વર્ગખંડની જરૂર પડશે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે વર્ગખંડની સંખ્યા વધારવી પડશે. આ માટે બોર્ડ દ્વારા ગણતરી શરૂ કરી દેવાઈ છે અને ૨૫ જાન્યુઆરી સુધીમાં વર્ગખંડોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ૭૦ હજાર કરતાં વધુ વર્ગખંડોનો ઉપયોગ કરાશે. એક વર્ગખંડમાં ૩૦ વિદ્યાર્થીઓને બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાે બોર્ડના અગાઉના પરિપત્ર મુજબ ૨૦ વિદ્યાર્થીને બ્લોક દીઠ બેસાડવામાં આવે તો વર્ગખંડની સંખ્યા ૯૦ હજારને આસપાસ પહોંચી શકે તેમ હતી. શિક્ષણમંત્રીએ મે ૨૦૨૧માં બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની જાહેરાત કરી હતી. પરીક્ષા પહેલા સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટેશનની કામગીરી કરાતી હોય છે. આ કામગીરી સાથે હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે. કોરોનાના પગલે બોર્ડની પરીક્ષામાં આ વખતે બે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં યોગ્ય અંતર જળવાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ બ્લોક દીઠ એટલે કે વર્ગ દીઠ ૨૦ વિદ્યાર્થી બેસાડવાનું આયોજન કર્યું હતું.