અમદાવાદ-

ગુજરાત માં 11 જાન્યુઆરી થી શાળાઓ ખોલવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.રાજ્ય માં કોરોના ની સ્થિતિ માં બંધ શાળાઓ હવે આગામી તા.11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શાળાઓ ખોલવા અંગે હલચલ શરૂ થતાં શાળાઓ બાળકો ના કોલાહોલ થી ગુંજી ઉઠશે તેમ મનાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.