ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછી થઇ રહી છે આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારે ધોરણ-12ની પરીક્ષાને લઇને મોટી જાહેરાત કરી છે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે ધોરણ-12ની પરીક્ષાઓ હાલની પદ્ધતી પ્રમાણે 1 જુલાઇથી શરૂ થશે. એક ક્લાસરૂમમાં માત્ર 20 વિદ્યાર્થીઓની હાજરી રહેશ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો મુજબ કોરોનાનું સંક્રમણ ન થાય તેવી રીતે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષાઑ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે, પહેલી જુલાઇથી શરૂ થશે પરીક્ષા શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.