સુપરસ્ટાર રજનીકાંતની લોકપ્રિયતાથી તો સૌ કોઈ સારી રીતે પરીચીત છે. રજનીકાંતને લઈને જ્યારે કોઇ મજાક થાય છે દર્શકો બરાબરના ભડકે છે. આવુ જ એકવાર ફરીથી થયુ છે. એક્ટર રોહિત રોયે રજનીકાંતને લઈને એક જાક કર્યો હતો દર્શકોને આ મજાક પસંદ પડી ન હતી અને ભારે ટ્રોલ થયો છે. રોહિતે સોશિયલ મીડિયા પર એક જાક શેર કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે રજનીકાંતને કોરોના થયો છે અને હવે કોરોનાને ક્વોરનટાઇન કરી દેવામાં આવ્યો છે. રોહિતનો ઇરાદોતો ફક્ત મજાક કરવાનો જ હતો પણ તેની આવી વાતથી રજનીકાંતના પ્રશંસકો બરાબરના ભડક્યા છે અને કહ્યુ કે આ સમય મજાક કરવાનો નથી. અસંવેદનશીલ વાતો કરી રોહિત શું સાબિત કરવા માંગે છે? રોહિતને અહેસાસ થતા કે કાચુ કપાઈ ગયુ તેણે પોતાની વાતને સ્પષ્ટ કરી હતી રોહિતે કહ્યુ કે મારો ઈરાદો આવો નહોતો ઉદાસ થવાની જરૂર નથી. જાક્સ જાક્સ જ હોય તેને ગંભીરતાથી ન લેવો જાઈએ. આ સમય કપરો છે હું તો ઇચ્છતો હતો કે બધા મજાક કરે