માંડવી

માંડવી નગરમાં કોરોના સંક્રમને અટકાવવા વ્યાપારીઓ દ્વારા એક સપ્તાહ માટે સ્વૈચ્છીક બંધને નગરનાં તમામ વ્યાપારીઓનો સંપૂર્ણ સહકાર મળતા નગર શાંતિમય વાતાવરણમાં બંધ રહ્યું હતું. નગરમાં કોરોના વધુ ન પ્રસરે તે માટે વ્યાપારીઓ દ્વારા પોતાને થતા આર્થિક નુકસાનને પણ હસતા મોઢે સ્વીકારી પોતાની દુકાનો બંધ રાખવામાં આવી હતી. ત્યારે નગરનાં તમામ પ્રજાજનો દ્વારા વ્યાપારીઓની આ કામગીરીની સરાહના કરાય હતી. માંડવી નગરમાં સંપૂર્ણ શાંતિ છવાય રહે તે માટે પી.એસ.આઈ. દર્શન રાવ સહિત તમામ પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. તેમજ ટી.આર.બી. જવાનો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ ખડે પગે દિવસ-રાત સેવા આપી રહાય છે. તેમજ બારડોલી ડી.વાય.એસ.પી. રૂપલબેન સોલંકી દ્વારા પણ માંડવી નગરની મુલાકાત લઈ તમામ પોલીસ કર્મીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પડાયું હતું.