સુરત-

શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલી ધનશ્યામ નગર સોસાયટીમાં આવેલી બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉના આગ લગતા દોડધામ મચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5થી 6 ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી.

બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકનું ગોડાઉન આવેલું છે, ત્યાં ફાયર વિભાગની ગાડીઓ અંદર જઈ શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પર કાબુ મેળવ્યો હતો.સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનાની જાણકારી સ્થાનિક દ્વારા આપવામાં આવી હતી. જેથી ગોડાઉનમાં રહેલા કર્મચારીઓને જાણતા ગોડાઉન ખાલી કરવામાં આવ્યું હતું. આ આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. હાલ ફાયર વિભાગ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરી રહ્યું છે.