સુરત-
શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલી ધનશ્યામ નગર સોસાયટીમાં આવેલી બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉના આગ લગતા દોડધામ મચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5થી 6 ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી.
બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકનું ગોડાઉન આવેલું છે, ત્યાં ફાયર વિભાગની ગાડીઓ અંદર જઈ શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પર કાબુ મેળવ્યો હતો.સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનાની જાણકારી સ્થાનિક દ્વારા આપવામાં આવી હતી. જેથી ગોડાઉનમાં રહેલા કર્મચારીઓને જાણતા ગોડાઉન ખાલી કરવામાં આવ્યું હતું. આ આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. હાલ ફાયર વિભાગ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments