સુરત-

મત માંગવા આવતા નેતાઓને સ્થાનિક મતદારોએ NO ENTRYના બેનરો બતાવી દીધા છે. સુરતમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા નારાજ મતદારોનો આક્રોશ ચૂંટણી ટાણે સામે આવ્યો છે.

વોર્ડ નંબર 24માં આશાપુરી સોસાયટીના સ્થાનિકોએ નેતાઓએ મત માંગવા ન આવવું તેવા બેનર લગાવ્યા. રસ્તા, પાણી સહિતની સુવિધા મુદ્દે સોસાયટીના લોકોએ રૂપિયા ભર્યા છે તેમજ અધિકારી, નેતાઓ સમક્ષ વારંવાર ધક્કા ખાઈને રજૂઆતો કરવા છતાં કામ પૂર્ણ ન થતા નારાજ આશાપુરી સોસાયટીના લોકોએ મતદાનના બહિષ્કારનું એલાન કર્યું છે.