સુરત-

માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક મંગળવારના રોજ બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.સમગ્ર મામલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. કિમ ચાર સ્તા નજીક માંડવી રોડ પર મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.આ ઘટનામાં કોસંબા પોલીસે ટ્રેક્ટર ચાલક, ડમ્પર ચાલક સહિત બંને વાહનોના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.જોકે ટ્રક ચાલક અને ક્લીનર તો ઘાયલ હોવાથી એમની સારવાર ચાલી રહી છે.કોસંબા પોલીસે ડમ્પર ચાલક પુનલાલ કેવટ અને ડમ્પર માલિક મનીષ રોકડ તેમજ શેરડી ભરેલા ટ્રેકટર ચાલક રમેશ પાડવી અને માલિક કોટેસિંગ વસાવા વિરુદ્ધ 279,304,308 , એમવી એક્ટ 177,184 મુજબ ગુનો નોંધી અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અનેક મજૂરો ઘાયલ થયા હતા. સમગ્ર મામલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.