સુરત-
પાલ ઉમરા બ્રિજની કામગીરી 95 ટકા પૂરી થઈ ગઈ છે, પરંતુ અઢી વર્ષથી ઉમરા તરફના મિલકતદારોએ કબજો ન આપતા પાલ ઉમરા બ્રિજની અટકી ગઈ હતી. પાલિકાની વાટાઘાટ અને દોરીની કામગીરી છતાં પણ મિલકતદારોએ કબજો આપ્યો ન હતો. કોર્ટમાં થયેલા સમાધાનની તારીખ પૂરી થયા છતા પણ મિલકતદારોએ સહકાર આપ્યો ન હતો. આથી આજે પોલીસની મદદથી પાલિકાએ મિલકતનો કબજો લેવાનું શરૂ કર્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ડિમોલિશન કરવા પહોંચી હતી ત્યારે લોકોએ આક્રમક વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત મિલકતદારોને પાલિકાએ જંત્રી મુજબ, મકાન માટે જમીનની ફાળવણી કરી છે. જ્યાર સુધી મકાન બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી પ્રતિ મકાનમાલિકને રૂપિયા 12 હજાર ભાડું આવવાનું નક્કી કર્યું છે. વર્તમાન મકાનનો બાંધકામનો ખર્ચ પણ પાલિકાએ આપ્યું છે. જોકે, પોલીસે મચક ન આપતા ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. છતાં પણ હજી લોકો વિરોધ કરી રહ્યા છે. પોલીસ વિરોધ કરતા લોકોની અટકાયત કરી રહ્યું છે અને બીજી તરફ ડિમોલિશન ચાલી રહ્યું છે. તાપી નદી ઉપર પાલ અને ઉમરા બ્રિજના ઉમરા અપ્રોચના નડતરરૂપ મિલકતો ખસેડવા માટે આજથી ડિમોલિશન શરૂ થયું છે. સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાએ પોલીસની મદદથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments