સુરત-

સંગ્રામપુરા વિસ્તારનાં એક એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળની બારીમાંથી બહાર નીકળીને બાજુના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા લશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સુરતમાં ફરીથી આગ લાગી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ આ આગમાં કોઈ જાનહાની નહોતી થઈ. પણ રહેણાંક વિસ્તારમાં લાગેલી આ આગને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને રહીશોએ બહાર નીકળવા માટે દરવાજાને બદલે બારીનો રસ્તો અપનાવ્યો હતો. રહીશો અપાર્ટમેન્ટના ચોથા માળેથી બીજા અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે.