સુરત-

ચોમાસુ પૂર્ણ થતાંની સાથે જ હવે મચ્છરજન્ય રોગ ફાટી નિકળ્યા છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ સુરતના 3 ઝોનમાં ડેન્ગ્યુના કેસો વધુ મળી રહ્યા છે, જે કેસને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ઓપરેટ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં પ્રતિદિવસ ત્રણથી ચાર જેટલા કેસો ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. જે કેસનું પ્રમાણ વધુ ન ફેલાય તે માટે પાલિકાની 2 હજારથી વધુની સર્વેલન્સ ટિમો કાર્યરત કરવામાં આવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘટત્તા હવે ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં વધારો થયો છે. પાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયાના વધતા કેસને લઈ વિસ્તારો જાહેર કરાયા છે. વરાછાએ ઝોન, વરાછા બી અને લિબાયત સહિત ઉધના ઝોન હદ વિસ્તારમાં કેસનું પ્રમાણ હાલ વધ્યું છે. સાફસફાઈ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે ડેન્ગ્યુના કેસ વધ્યા છે. ઓક્ટોબરના ચાલુ માસ દરમિયાન ડેંગ્યુના આશરે 40 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સુરતમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસ વધતા પાલિકા દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. ગત વર્ષે 2019 ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 101 કેસ હતા, જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 36 થી 40 કેસ નોંધાયા છે. પ્રતિદિવસ સુરતમાં 3 થી 4 કેસ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યાં શહેરના 2 હજાર જેટલા જનરલ પ્રેક્ટિસ કરતા તબીબો અને સ્થાનિક વિસ્તારના ડૉક્ટરો પાલિકાના સંપર્કમાં હોવાથી કેસ શોધી કાઢવામાં પાલિકાને સરળતા મળી રહી છે.