સુરત-
વરાછામાં સોમવારે વહેલી સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી ૫ લાખના બે એમ્બ્રોયડરી મશીન ચોરી ગયા હતા. વરાછામાં ધરમનગર રોડ પર શારદાવિહાર સોસાયટીમાં રહેતા જનક વિઠ્ઠલ વેકરિયા ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવે છે. જે હાલ કોરોનાના કારણે બંધ છે અને પોતે વતન છે. સોમવારે સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી ત્રીજા માળે ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દિવાલ તોડી બે મશીન ક્રેનથી કાઢીને ચોરી કરી નાસી ગયા હતા.
ખાતાથી દૂર થોડા અંતરે એક ખાતાની બહાર લાગેલા સીસી કેમેરામાં દેખાય છે કે સવારે ચારેક વાગે ૮ ચોર ક્રેન અને ટેમ્પો લઈ ચોરી કરવા આવ્યા હતા. ૧ તસ્કર પકડાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચોરે ખાતું પોતાનું છે કહીને ભાડેથી મશીન અને ક્રેન લાવી બિન્ધાસ્ત ચોરી કરી હતી.જનકના બનેવી શૈલેશ હીરાણીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments