સુરત-
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ આજે પણ આ કૃત્યો થતા રહે છે અને બાળકીઓ પીખાતી રહે છે, પરંતુ નરાધમોને સખ્ત સજા મળે એ પ્રકારના હજી સુધી કોઈ પણ કાયદા અમલમાં આવ્યા નથી. આવી જ રીતે ડીંડોલીમાં દુષ્કર્મનો ભોગ બનેલી બે વર્ષમાં ૬ ઓપરેશન છતાં આજે પણ હોસ્પિટલમાં પીડા ભોગવતા ભોગવતા સારવાર લઈ રહેલી ૪ વર્ષની માસૂમ બાળાની સચ્ચાઈ જાણીને તમે હચમચી જશો.
આ ઘટનાને જાેઈએ તો, આ માસૂમ બાળા પર વર્ષ ૨૦૧૮માં સુરતના ડિંડોલી વિસ્તારમાં દુષ્કર્મ થયો હતો. હોસ્પિટલના બિછાને બે વર્ષથી પડેલી માસૂમ બાળાને તેની સાથે શું થયું હતું તેની ખબર નથી અને તે આજે જીવતી લાશ બની ગઈ છે. ૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમને પાડોશમાં રહેતો ૨૫ વર્ષીય રોશન ભૂમિહાર નામનો હવસખોર શખ્સ ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો હતો.
એકાંતનો લાભ લઈને આ નરાધમે જે કૃત્ય આચર્યું હતું તે જાેઈને બાળકીનો ઈલાજ કરનારા ડૉક્ટર્સ પણ ચોંકી ગયા. રોજે રોજ દર્દ ભોગવી રહેલી પુત્રીને જાેઈને માતાના આંસુ સૂકાતા નથી. બાળકીની માતાનું કહેવું છે કે, ”પોલીસે આરોપીને પકડીને જેલમાં બંધ કરી દીધો છે, પરંતુ તે જેલમાં આરામથી ખાઈ-પીને રહે છે. મારી દિકરી તે દિવસ પછી એક વખત પણ મા નથી બોલી શકી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments