અમદાવાદ,તા.૨૫ 

ઉત્તર ગુજરાતના ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ દ્વારા તંત્ર મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરતી ફરિયાદમાં ભોગ બનનાર સુરતની મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન ફેરવ્યું હતું. મહિલાએ આ મામલે જલપરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ દવાઓ ખવડાવી ખોટો વીડિયો બનાવડાવ્યાનું કહ્યું છે.

જોકે આ અંગે ફરિયાદ કરનાર ટ્રસ્ટી ડા. આશિત દોશીએ જંણાવ્યું છે કે ભોગ બનનાર મહિલા તદ્દન ખોટું બોલી રહી છે. અમારી પાસે વીડીયો, ઓડિયો, તેના સ્વહસ્તે લખેલા લખાણ સહિતના તમામ પુરાવા છે.ટ્રસ્ટીઓને કલ્યાણજી સાગરે ટ્રસ્ટમાંથી છુટા થતા હોવાનું લેખિત આપીને મૌખીક જણાવ્યું કે, પોતે સંસારિક જીવનમાં પરત ફરી રહ્યા છે. ત્યારબાદ બીજા મહારાજ સાહેબ રાજતીલક સાગરે ધાર્મિક વડાઓ મારફતે દબાણ કરી કોઈ કાર્યવાહી ના થાય તેવા પ્રયાસ કર્યા હતા.

આ ઘટના અંગે બંને ટ્રસ્ટીઓને બદનામ કરવાની, સમાજમાંથી બહાર કાઢવા અને જાનથી મારવા સુધીની ધમકી મળી હતી. જેના પગલે બંને મહારાજ સાહેબો વિરુદ્ધ ડા આશિત દોશીએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ફરિયાદમાં જે મહિલા દુષ્કર્મનો ભોગ બન્યાનું જણાવ્યું હતું. ાલીસે તે મહિલાનું નિવેદન લીધું હતું.

દુષ્કર્મની ઘટના અગે ફરિયાદી ડા આશિત દોશીએ જણાવ્યું હતું કે મહિલા સામે ચાલી અમારી પાસે દુષ્કર્મ થયાની ફરિયાદ માટે આવી હતી.

તેણે અમારા ધર્મગુરુઓ સાથે પણ આ બાબતે રજુઆત કરેલી છે. આ ઉપરાંત મેં મહિનામાં મહિલાએ પોલીસમાં અરજી કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું. મહિલા તદ્દન ખોટું બોલી રહી છે.અમારી પાસે મહિલા અને તેના પતિએ આપેલા વિડીયો, લખાણો અને ઓડિયો સહિતના પુરાવાઓ છે.