સુરત-

પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઈને સુરતની ખુશી ચિંડલિયાને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન (ટીઇજી) દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ (આરએ) તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર ૧૭ વર્ષની ખુશીએ પર્યાવરણની જાળવણીમાં નોંધાવેલી ભાગીદારીને લઈને તેને ભારત દેશની ગ્રીન એમ્બેસેડર બનાવાઈ છે.

માનવ કુદરતનો જ એક અંગ છે. માનવ જીવન પર્યાવરણને અનુસરી રહ્ય્šં છે જેને લઈને ભારત દેશ ડેવલપમેન્ટ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે પરંતુ ક્્યાંક ને ક્્યાંક તેની અસર પર્યાવરણ પર ગાઢ રીતે જાેવા મળી રહી છે એટલે કે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્ય્šં છે. જેને લઈને સુરતની માત્ર ૧૭ વર્ષીય ખુશીએ પર્યાવરણનું જતન કરવા માટેના વિચારોને પ્રગટ કરવા માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં ઓનલાઈન અરજી કરી હતી. આ વિચારોથી પ્રભાવિત થઈને ખુશીને ભારતની પ્રાદેશિક પ્રમુખ બનાવવામાં આવી છે.

લોકડાઉન અને મહામારીની વચ્ચે કાપડના વેપારી બસંત ચિંડલિયા અને એસ્ટ્રો વાસ્તુ કાઉન્સેલર બિનીતાની દીકરી ખુશીએ તેનો સમગ્ર સમય પર્યાવરણ પર કામ કરવામાં પસાર કર્યો હતો. હાલ બહાર અવર-જવર થઈ શકે તેમ ન હોવાથી ખુશી તેના જાગરૂકતા પ્લાન પર ઓનલાઈન કામ કરશે. આ મહિને તે રિપોર્ટ શેર કરીને સરકાર પર્યાવરણ માટે શું કરે છે અને શિક્ષણ કેવી રીતે તેમાં મદદ કરે છે તે અંગે વાત કરીશે. ખુશીએ તેના જીવનનો મોટો હિસ્સો પર્યાવરણની ઉપર કામ કરવામાં ખર્ચી કાઢ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ટીઈજીની સાથે ખુશી વિવિધ જાગૃતિના પ્રોગ્રામ પર કામ કરશે. મહત્વની વાત એ છે કે ખુશી ભારતના એ ૧૦૦ યુવાઓમાંથી એક છે જેમના નિબંધ યુનેસ્કો તેમના પુસ્તકમાં પ્રદર્શિત કરશે. ખુશીએ કહ્યું કે, પ્રકૃતિની અધોગતિ અને તેના પરિણામોની સમજ પ્રત્યેની મારી સંવેદનશીલતાએ મને પ્રેરણા આપી છે.