સુરત-

કોરોના વાયરસનાનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જીવલેણ વાયરસનાં કાળ વચ્ચે આજથી સુરતનું હીરા બજાર ફરી ધમધ્યુ છે. બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. છેલ્લા આઠ-દસ દિવસથી સુરતમાં દરરોજ અમદાવાદથી વધુ કેસો તો નોંધાઈ જ રહ્યા છે પરંતુ ગુરૂવારે મોતનો આંકડો પણ વધી ગયો હતો. સુરતમાં કોરોનાના હાહાકાર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોના કહેર વચ્ચે આજથી હીરાબજાર ફરી ધમધમતું છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી હીરા બજાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાઈડલાઈન્સ પ્રમાણે જાે કોઈ યૂનિટ કે એકમમાં 10થી વધુ કેસ આવે તો હીરા બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરા બજાર બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે. બીજી બાજુ તંત્રએ હિરા બજારનો સમય વધારવાની માગ ફગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારી વચ્ચે સુરતના હીરા ઉધોગકારોએ પોતાના એકમો અને યૂનિટો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ચાલું રહે તેવી માંગ કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આજથી હીરા ઉદ્યોગ ફરી ધમધમતું થયું છે. હાલ બજારોમાં હીરા બજારમાં ટ્રેડિંગ પણ શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીના જાેખમ વચ્ચે સરકારે હીરા ઉધોગને પરમિશન તો આપી છે, પરંતુ સરકાર દ્વારા જાહેર થયેલી ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ એકમ કે યૂનિટમાં 10થી વધુ કેસ આવશે તો તે હીરા બજાર બંધ કરવામાં આવશે. એટલું જ નહીં, સુરતના હીરા બજારને બપોરે 2થી 6 વાગ્યા સુધી ખોલી શકવાની પરમિશન આપવામાં આવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શપથવિધિ અને રાષ્ટ્રગાન ફરજિયાત કરાયું છે.

સુરતમાં કોરોનાને કંટ્રોલમાં લેવા માટે ગુરુવારે સાંજે આરોગ્ય સચિવ સાથે હીરા ઉદ્યોગની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સુરતના અગ્રણી ઉદ્યોગકારો, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મનપા કમિશનર, સહિત આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હીરા ઉદ્યોગકારો દ્વારા સમય વધારવાની માંગ કરાઈ હતી. પરંતુ તેની મંજૂરી મળી શકી નહોતી. સરકારે ઉધોગકારોને પોતાના એકમ અને યૂનિટો ચલાવવા માટે બપોરે 2થી 6નો સમય ફાળવ્યો હતો. પરંતુ ઉધોગકારોએ સવારે ૯થી સાંજે ૬ સુધીના સમયની માંગ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા હીરા બજારની સમય વધારવાની માંગ ફગાવાઈ દેવાઈ છે. તંત્રએ કડક આદેશ આપતા હીરા બજારનો સમય બપોરે 2થી સાંજે 6 સુધીનો જ રહેશે. ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો તંત્રએ આદેશ આપ્યો છે.