રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલા સરવેમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવન દ્વારા સરવે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારુ તારણ મળ્યું કે, કોરોના અને લોકડાઉન બાદ ૯૦ ટકા યુવાનો અને તરુણોમાં પાયરોમેનિયા જાેવા મળિયો. ૯૦ ટકા યુવાનો પાયરોમેનિયા રોગતી પીડાતા હોવાનુ ખૂલ્યું. તો ૫૪ ટકા તરુણોમાં પણ આ જ સ્થિતિ જાેવા મળી. સતત સ્ટ્રેસ અને ભયથી આ રોગ વધ્યો છે. જેમાં કારણ વગર ગાળા ગાળી કરતા અને ઝગડતા એ તેના લક્ષણો છે. રાત્રે કોઈના ઘરના કાચ તોડવા, કારના કાચ રોડવા અને વાહનોની લાઈનો પાડી આનંદ લેવો આ બધી માનસિક વૃત્તિ આ રોગમાં જાેવા મળે છે. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૯૪૦ યુવાનો અને તરુણોનો સર્વે કરવામાં આવ્યો હતો.

પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના, હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોઈ છે.પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -૫) માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકોને કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે જે એક માનસિક વિકાર છે, જેને મનોવિજ્ઞાન માં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે. વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જાે તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે કામ કરે છે. અને તે વ્યક્તિ સમજે છે તે કામ કરવું જાેખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે, જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી, અને તક મળે એટલે તરત કંઇપણ બાળી નાખે છે, જાે કે પીડિત વ્યક્તિ વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.