મુંબઇ-   

સુશાંત કેસની તપાસ સીબીઆઈ એનસીબી અને ઇડી કરી રહ્યુ છે. પરંતુ અભિનેતાના મોતનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી. સુશાંત કેસમાં ડ્રગ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થયાના બીજા દિવસથી અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. દરમિયાન, હવે મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરણ જોહર, સલમાન ખાન સહિત 8 સ્ટાર્સને નોટિસ ફટકારી છે અને કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

આ સ્ટાર્સને કોર્ટમાં હાજર થવું પડશે 

સમાચાર મુજબ કોર્ટે મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાની ફરિયાદ પર કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન, ભૂષણ કુમાર, સાજિદ નડિયાદવાલા અને દિનેશ વિજયનને 7 ઓક્ટોબરના રોજ નોટિસ ફટકારી છે. સુધીર ઓઝાએ આ બધા સ્ટાર્સ પર સુશાંતને આત્મહત્યા કરવા માટેનો આરોપ લગાવ્યો છે. 17 જૂનના રોજ તેમણે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં કલમ 306, 109, 504 અને 506 હેઠળ ઉપરોક્ત ફરિયાદ નોંધાવી હતી.