સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થવાના કારણે કરણ જોહરની હાલત ખરાબ થઇ ગઇ હોવાનુ તેના મીત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.સુશાંત સિંહ ના નિધન બાદ બોલીવુડમાં નેપોટીઝમના મુદ્દા પર ચર્ચાઓ એ પકડ્યો છે. જેમાં પ્રસિદ્ધ ફિલ્મ મેકર કરણ જોહર અને ખરાબ રીતે ઘેરવામાં આવી રહ્યો છે. સુશાંતના નિધન બાદ લોકોએ તેને જબરજસ્તી કરવાનું શરૂ કરી દીધું છે. સુશાંતની આત્મહત્યાની ખબરે લોકોને હલ બલાવી નાખ્યા હતા.

ત્યાર બાદ થયેલા બહોળા પ્રમાણમાં ટ્રોલિંગના કારણે કરન જોહર ભાંગી પડ્યા છે. આ વિશે તેના એક નજીકના મિત્ર એ જ ખુલાસો કર્યો છે. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા ફિલ્મ મેકર કરણ જોહરે સુશાંત ના નિધન પછી ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ શેર કરી નથી. જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા તેમને અને ફોલો કરવાની ખબર મળી રહી છે. હવે બોલિવૂડમાં કામ સમાન એક ખબર સામે આવી છે કે કરણ જોહરના ખાસ મિત્રએ તેની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવા અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કરણ જોહર સંપૂર્ણ રીતે ભાંગી ચૂક્યા છે. ટ્રોલર્સની વાતોથી આ પહેલા તેઓ ક્યારેય એટલા પ્રભાવિત થયા ન હતા.

જેટલું સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેઓ ભાંગી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા ડોલરના કારણે તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. આ રિપોર્ટ પ્રમાણે કરણ જોહરના મિત્રોએ એ પણ જણાવે છે કે તે એ માટે વ્યથિત છે તેમની સાથે જોડાયેલા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.તેમના ત્રણ વર્ષના જોડિયા બાળકોને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. તેમજ અન્નયા પાંડે જેવા લોકોની વિરૂદ્ધ નફરત ફેલાઇ રહી છે.

મિત્ર એ પણ જણાવ્યું હતું કે કરણ જોહર બોલવાની સ્થિતિમાં નથી તેઓ લડવાનું ભૂલી ગયા છે અને કિસ્મત ના મારી આ વ્યક્તિની જેમ રહેવા લાગ્યા છે જ્યારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવે છે તો તેઓ રડી પડે છે અને રોતા રોતા પૂછે છે કે તેઓ એવું શું કર્યું છે કે આ બધું ભોગવવું પડી રહ્યું છે