અંક્લેશ્વર

અંકલેશ્વર માં સગીર યુવતી સાથે તેના મિત્રોએ જન્મદિસવની ઉજવણીમાં નાશ યુક્ત પીણુ પીવડાવી ને તેણી સાથે દુષ્કર્મ આચરવા માં આવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હાલ પોલીસે પોક્સો એક્ટ અને અપહરણ નો ગુનો દર્જ કરીને પાંચ યુવકો ની ધરપકડ કરી હતી.

અંક્લેશ્વર પંથક માં તારીખ ૧૭ મી એ એક સગીરા ને તેની માતા એ ઠપકો આપતા તે ઘરે થી ભાગી બહેનપણીને ત્યાં ગઇ હતી. પુત્રી લાપતા બનતા તેની માતા એ અંક્લેશ્વર શહેર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન માં સગીરા ઘરે પરત આવતા શહેર પોલીસ મથક ના પી.આઇ એફ.કે.જોગલે તેની પુછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. સગીરા એ જણાવ્યુ હતુ કે તે તેની બહેનપણી સાથે એક મિત્ર ની બર્થ ડે પાર્ટી માં ગઇ હતી. મિત્રના ઘરે કોઇ ન હોઇ ત્યાં જ બે સગીરા તેમજ પાંચ યુવાનો એ બર્થ ડે પાર્ટી ઉજવી હતી.પાર્ટીમાં તેઓએ દારૂ નો નશો કરતા બન્ને સગીરાઓ એ ઘરે પરત જવાનું ટાળી ત્યાં જ રોકાઇ ગઇ હતી. જે બાદ તેઓએ નાશ યુક્ત પીણુ પીધા બાદ સુઇ ગયા હતા. સવારે બન્ને સગીરા ઓ ની બાજુ માં તેમના મિત્રો સુતેલા હોઇ સગીરાને તેની સાથે દુષ્કર્મ થયુ હોવાની શંકા થઇ હતી.

ઘટના ને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે પોક્સો તેમજ અપહરણ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે સગીરા ની કેફિયત ના આધારે યુવાનો તેમજ સગીરા નું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યુ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ દુષ્કર્મ થયુ હોય તો તેની કલમો ઉમેરી તે આધારે આગળ ની તપાસ કરાશે તેમ વિભાગીય પોલીસ અધીક્ષક ચિરાગ દેસાઈ એ જણાવ્યુ હતુ.