દિલ્હી-
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ કે, જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો ભારતમાં આવવા જાેઈએ. મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે, સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો.
એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ કે, સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતને અનુરૂપ આર્થિક નીતિ બની નથી. દુનિયા અને કોવિડ-19ના અનુભવોથી સ્પષ્ટ છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત માૅડલ આવવું જાેઈએ. જેથી વિદેશોમાં જે સારૂ છે એ ભારતે અપનાવવું જાેઈએ. આ માટે સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે બધી વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે.
મહત્વનું છે કે, ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાનાં બે પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ભાગવતે કહ્યુ કે, આઝાદી પછી એવું માનવામાં જ ન આવ્યું કે આપણે લોકો કંઈક કરી શકીએ છીએ. સારું થયું કે હવે શરૂઆત થઈ છે. ભાગવતે કહ્યુ કે, આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું છે. જાે કે, આપણા લોકોનાં જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન અપાયું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments