અમદાવાદ-

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. ફેફસામાં ઈન્ફેકશનની તકલીફ બાદથી તેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની તબિયતમાં સુધારો ન જણાતા તેમને વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યા હતા.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઈન થઈ શકશે. સાથે જ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગરના કમ્પાઉન્ડમાં આવવાનું નહીં. આ સાથે જ આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં અને ઉત્સવો ઉજવાશે નહીં.