વારાણસી-

વારાણસીની એક સાડીની દુકાનમાં કામ કરતો ધરમેન્દ્ર સિંહ નામનો નેપાળી યુવકની લોકડાઉનને કારણે હાલત કફોડિ બની હતી તેની પાસે ખાવા-પીવાના પૈસા પણ નહતા જેથી તેણે જિલ્લાના કેટલાક નેતાઓનો સંપર્ક કર્યો જેથી તેને કોઇ મદદ મળી રહે.

નેતા પાસે મદદ માગંતા નેતાઓએ ગંગા ઘાટ પર બે કલાક ચક્કર લગાવવા પડશે અને  એક કાર્યક્રમમાં માથુ મુંડાવીને માથા પર શ્રી રામ લખવુ પડશે તો તેને 1000 રુપીયા મળશે.ફક્ત બે કલાકમાં 1000 રુપીયા મળવાની વાત સાંભળી તે ખુશ થઇ ગયો અને તેને પોતાનુ માંથુ મુંડાવી નાખ્યું.

પરંતુ આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ધરમેન્દ્ર સિંહને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ફરાર હોવાના કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે તે મળી આવ્યો છે પોલીસે તેની પુછપરછ હાથ ઘરી છે.