ચેન્નઈ-

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ અંગે ડૉક્ટર્સે જણાવ્યું કે, સાંસદ વંસતકુમારને નિમોનિયા થયો હતો. જે બાદ તેમની સ્થિતિ નાજૂક થઈ હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વસંતકુમારને કોરોના સંક્રમણ થયું હોવાથી 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગતરોજ કોંગ્રેસ સાંસદનું નિધન થયું હતું. આમ, કોંગ્રેસ સાંસદના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત કેટલાય કોંગ્રેસ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.