ગાંધીનગર-
લોકડાઉન દરમિયાન ગરીબ કાર્ડ ધારકોને અનાજનો જથ્થો મળે તે માટે રાજ્ય સરકારે યોજના જાહેર કરી હતી પણ કોરોના ના કપરા કાળમાં પણ કાળાબજારિયા તકનો લાભ લેવાનું ચૂક્યા નથી. ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં સરકાર સફાળી જાગી હતી અને નાગરિક પુરવઠા વિભાગે આખા રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર ચેકિંગ કરતા અનાજ સગેવગે કરવાનું બહાર આવ્યું હતું.
રાજ્ય નાગરિક પુરવઠા વિભાગે ચેકિંગ કરતા ઘણી ગેરરીતિ બહાર આવી છે જેના પગલે રાજ્યમાં ૭૦ જેટલા સસ્તા અનાજની દુકાનના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦થી વધુ સસ્તા અનાજની દુકાનદારો પર પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે .આ એક્ટ મુજબ છ મહિનાની જેલની જોગવાઈ છે. ચેકિંગ દરમિયાન રાજ્ય સરકારે અનાજનો જથ્થો સીઝ કર્યો છે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની ટીમોએ સૌરાષ્ટ્ર, રાજકોટ વડોદરા સહિતના શહેરમાં ચેકિંગ કરતા ગેરરીતિ બહાર આવી છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments