અમદાવાદ

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ૩-૧થી જીત બાદ ભારતીય ટીમ ટી૨૦ સિરીઝ મુકાબલા માટે તૈયાર છે. ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલી ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ દરમ્યાન ટીમના ખેલાડીઓએ આગામી ટી૨૦ સિરીઝ પહેલાં સોશિયલ મીડિયા રેટ્રો જર્સીમાં ફોટા શેર કર્યા છે, એવામાં સ્પષ્ટ છે કે આગામી ટી૨૦ સિરીઝમાં પણ ભારતીય ટીમ ફરી એકવાર રેટ્રો જર્સીમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ સીમિત ઓવરના ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ રેટ્રો જર્સીમાં જોવા મળી હતી.

જણાવી દઈએ કે ભારત ઈંગ્લેન્ડ સામે ૫ ટી૨૦ સિરીઝ રમશે, ત્રણ વનડે મેની સિરીઝ પણ રમશે. એવામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રેટ્રો જર્સીમાં જોવા મળ્યા બાદ ભારતીય ટીમ ફરી એકવાર આ સિરીઝમાં રેટ્રો જર્સીમાં જોવા મળશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ૧૯૯૨ના વર્લ્‌ડ કપમાં આ રેટ્રો જર્સી પહેરી હતી. બીસીસીઆઈની સાથે એમપીએલે ટીમ ઈન્ડિયાની જર્સી અને કિટને લઈ ત્રણ વર્ષનો કરાર કર્યો છે.જો કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રેટ્રો જર્સી પહેરશે કે નહિ તે અંગે એમપીએલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ ભારતીય ખેલાડીઓએ જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ઈંગ્લેન્ડ સામેના મુકાબલામાં ભારતીય ટીમ રેટ્રો જર્સીમાં જોવા મળશે.