દિલ્હી-

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ ગુરુવારે બપોરે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને આર્મી બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને સૈનિકો શહીદ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.