ત્રણ ત્રણ વર્ષથી સંજયનગરના રહીશોને ઘર વિહોણા કરી નાખીને હજુ સુધી ઘર આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત છ-છ માસથી પ્રતિમાસ ચુકવાતું બે હજાર જેટલું નજીવું ભાડું પણ અપાયું નથી.આ બધી બાબતોને લઈને તેમજ સંજયનગર ખાતે હજુ સુધી એક ઈટ પણ મુકાઈ નથી.આ સામે આંદોલન કરી રહેલા સંજયનગરના રહીશો દ્વારા પ્લે કાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને આંદોલન જારી રાખવામાં આવ્યું હતું