અમદાવાદ-

51 શક્તિપીઠ માનું એક ગણાતું પરમ શ્રદ્ધા અને આસ્થાનું તીર્થધામ અંબાજી મંદિર નવરાત્રીના દિવસોમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. કોરોનાના કારણે મંદિર અમુક સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયુ હતું. પરંતુ નવરાત્રીમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.

માઈભકતોને દર્શન કરવાનો સમય સવારે 8થી11.30, બપોરના 12.30 થી 4.15 સુધી તથા સાંજે 7થી9 રાખવામાં આવ્યો છે. બપોરે 4.15 થી 7 સુધી મંદિર બંધ રહેશે. આરતી સવારે 7.30 કલાકે તથા સાંજે 6.30 કલાકે કરવામાં આવશે. નવરાત્રીમાં અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેતા માઈ ભકતોમાં ધર્મોલ્લાસ છવાયો છે.