ન્યુ દિલ્હી,તા.૫
કેન્દ્રની મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ૩૬,૪૦૦ કરોડ રૂપિયાની જીએસટી વળતરની જાહેરાત કરી દીધી છે. આ જીએસટીની રકમ ડિસેમ્બર ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીની હોવાનું જણાવાઈ રÌšં છે. દેશના વિભિન્ન રાજ્યો જીએસટી ચૂકવણીને લઈને મોદી સરકારની ટીકા કરતા રહ્યાં છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન સાથેની બેઠકો દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો પણ હતો. કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે રાજ્યોને કોરોના મહામારીની વર્તમાન Âસ્થતિ સામે લડવા માટે રૂપિયાની ખૂબજ જરૂરિયાત હતી. એપ્રિલ-નવેમ્બર-૨૦૧૯ની મુદ્દત માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧,૧૫,૦૯૩ કરોડ રૂપિયાની કુલ ય્જી્ રકમ પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી. દેશના અનેક રાજ્યો જીએસટી વળતરને લઈને લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા, કારણ કે લાકડાઉન અને કોરોનાના કારણે તેમની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડી હતી. રાજ્યો પોતાના નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આજ કારણે અનેક રાજ્યોએ દારૂ અને પેટ્રોલ-ડિઝલ પર ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો ટેક્સમાં વધારાની શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૭૦ ટકા ટેક્સ વધારવા સાથે કરી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ટેક્સ વધારીને રાજ્યની તિજારી ભરવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments