અમદાવાદ

અમદાવાદમાં ભરચક રહેતા એસપી રીંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે પાંચ ફ્લાય ઓવર, બે ફૂટ ઓવર અને એક પેડેસ્ટ્રેરિયન બ્રિજ બનશે, તે ઉપરાંત અન્ય જંક્શનો પર પણ ૧૦ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.૬૬૦ કરોડના ખર્ચે ૧૦ જંક્શન પર ૧૦ બ્રિજ બનાવશે. તે ઉપરાંત પાંચ ફ્લાઈ ઓવર, ફૂટ ઓવરબ્રિજ અને થ્રી લેયર અંડરપાસ સહિત પેડેસ્ટ્રેરિયન બ્રિજ પણ બનાવવાનું કામ આગામી સમયમાં શરુ થશે.ઔડાનો ડીપીઆર મંજુર થયા બાદ આ ૧૦ ફ્લાયઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે.

અમદાવાદ શહેરની ફરતે આવેલા એસપી રીંગરોડ પર વધુ ૯ ફ્લાય ઓવર અને એક અંડરપાસ બાંધવાનો ડીપીઆર ઔડાએ એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ સબમીટ કરી દીધો છે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડ ઉપર વધુ ૧૦ ફ્લાયઓવર-અંડરપાસ બાંધવાના જંકશનો ફિક્સ કરી દીધાં છે તેવી માહિતી ડીપીઆરમાં મૂકી છે. ઔડાનો ડીપીઆર મંજુર થયા બાદ આ ૧૦ ફ્લાયઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે. ઔડાનું અનુમાન છે કે, અગામી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે.

તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. ગાંધીનગર થી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે.આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબના બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે. જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મીલો છે જે તેને બનાવે છે.

અમદાવાદ- ગાંધીનગરને જાેડતા નેશનલ હાઈવેના ચિલોડાથી સરખેજ વચ્ચેના ૪૪.૨ કિલોમીટરમાં ૮૬૭ કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય ચાલુ છે. દિલ્હી-ગુડગાંવ હાઈવેની તર્જ પર ફાસ્ટ મૂવિંગ અને લોકલ ટ્રાફિક અલગ લેન કોન્સેપ્ટથી જીય્ હાઈવે પર ૨૭ મોટાં, ૫૭ નાનાં જંકશનોએ રોડ ક્રોસિંગનો અંત આવશે. વૈષ્ણોદેવી સર્કલે વધુ એક અંડરપાસનો ઉમેરતાં ક્યાંય વાહન ઊભું રાખવું પડશે નહીં. આ પ્રોજેક્ટમાં કુલ ૧૧ અન્ડરપાસ-ફ્લાઇ ઓવરબ્રિજ આકાર લેશે. સોલા ભાગવતથી ઝાયડ્‌સ જંકશન વચ્ચે ૪.૧૮ કિમીનો એલિવેટેડ હાઈવનું કામ ચાલુ છે. વૈષ્ણોદેવી સર્કલ જંકશન થતાં થ્રી-લેયર સિસ્ટમ થશે.

આવનારા સમયમાં આ સર્કલની આસપાસ વસતિની ગીચતા વધશે ત્યારે સ્થાનિક અને હેવી ટ્રાફિકનું ભારણ વધી શકે છે, આથી રિંગ રોડના ટ્રાફિકને અંડરબ્રિજથી, જીય્ હાઈવેના ટ્રાફિકને ઓવરબ્રિજથી અને લોકલ ટ્રાફિકને સર્ફેસથી મેનેજ કરવા આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ-ખોડિયાર રેલવે, અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે. ખોડિયાર ક્ધટેનર ડેપો અને અદાણી શાંતિગ્રામ ક્રોસ રોડ એમ બે સ્થળે લોકલ ટ્રાફિક માટે અંડરપાસ પણ બનશે.