આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વારંવાર કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જે અનુસંધાને ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર ધરાવતાં જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા જાહેરનામાંથી સૂચના બહાર પાડવામાં આવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેઇનમેઇન્ટ વિસ્તારોમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નહેરૂબાગ યોગીપાર્કના કુલ-૧૫ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ પ્રિયાદર્શનનીના કુલ-૮ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ ઈમાન્યુઅલ સોસાયટીના કુલ-૧૨ મકાનનો વિસ્તાર આણંદ વીલ કરમસદના કુલ-૧ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ રાધાસ્વામી સોસાયટીના કુલ-૮ મકાનનો વિસ્તાર અને નહેરૂબાગ આશીર્વાદ બંગ્લોઝના કુલ-૧૦ મકાનનો વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૬૬ નીલકમલ સોસાયટીના કુલ-૧ મકાનનો વિસ્તાર, સહજાનંદ સ્ટેટસના કુલ-૧ મકાનનો વિસ્તાર અને વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રાધા કોમ્પલેક્ષ ના કુલ-૧૫ મકાનના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૨૦ નવેમ્બરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઇપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યાં છે.