વડોદરા : શહેર નજીક આવેલા કાયાવરોહણ ગામના તળાવમાં આવી ગયેલા મગરે કુતરાન શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ ગુજરાત એસ.પી.સી.એ.ને કરાતા સંસ્થાના કાર્યકરો વન વિભાગના કર્મચારીઓ સાથે દોડી જઈ તળાવમાં પાંજરૂ ગોઠવતા મગર પાંજરે પુરાયો હતો.રવિવારે મોડી રાત્રે ગુજરાત.એસ.પી.સી.એ સંસ્થાના ના રાજ ભાવસાર ને પોર પાસે આવેલ કાયાવરોહણ ગામના સરપંચે માહિતી આપી કે ગામના તળાવ માં એક મગર આવી ગયો છે અને કૂતરા નો શિકાર કર્યો છે.જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. કોઈ બીજી મોટી જાનહાનિ ના થાય તે માટે મગરને પકડવા જણાવેલ હતું. જેથી તરતજ ડભોઇ રેન્જ ના બીટ ગાર્ડ દિપલને જાણ કરી સંસ્થાના અમરા કાર્યકરો રિનવ કદમ,નરેન્દ્ર ચવ્હાણ.ત્યાં પહોંચી પાંજરું મૂકતા ૩ કલાક ની જહેમત બાદ એક ૫.૫ ફૂટ લાંબો મગર પાંજરામાં પુરાઇ ગયો હતો.મગરને સુરક્ષિત રીતે રેસ્કયુ કરી વડોદરા વન વિભાગને સોંપ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments