ગાંધીનગર

રાજયમાં કોરોનાના કેસોમાં રાહત થતાની સાથે જ સરકારે કર્ફ્યૂની અવધિમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર કર્યો છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમોનું અમલીકરણ થશે.