દિલ્હી:

આતંકી સંગઠન અલ-કાયદાના ચીફ અલ જવાહીરીનું મોત થયું છે. અરબ ન્યૂઝના અહેવાલથી મળી રહેલા સમાચારો અનુસાર અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત થયું છે. રિપોર્ટ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું. જવાહીરી છેલ્લી વખત આ વર્ષે 9/11ના હુમલાની વરસી પર જારી કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળ્યો હતો.

જો કે, તમને જણાવી દઇ કે, અલ-કાયદા એક મોટું આતંકી સંગઠન છે જેની કમાન ક્યારે આતંકી ઓસામા બિન લાદેનના હાથમાં હતી. વર્ષ 2011માં ઓસામા બિન લાદેશના મોત બાદ આ સંગઠનની દેખરેખ અલ-જવાહીરીની નિગરાનીમાં ચાલી રહી હતી. જો કે, આતંકી સંગઠન અલ કાયદાએ હજુ સુધી આ સમાચારોની કોઈ પુષ્ટિ કરી નથી. અલ-જવાહીરીના આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પ્રથમ વખત આફગાનિસ્તાનના પ્રવાસ ગયા હતા.