દિલ્હી-

સુપ્રીમ કોર્ટમાં ડિસઇનફેક્શન-સુરંગ પર નિર્ણય સમયે કેન્દ્ર સરકારે કહ્યુ કે ડિસઇનફેક્શન-સુરંગનો ઉપયોગ તબીબી રીતે તથા મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટીએ હાનિકારક છે. કોરોનાવાઈરસના ઇલાજ માટે ડિસઇનફેક્શન-સુરંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટને આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી.

તમામ સંબંધિત પક્ષો કે જે ડિસઇનફેક્શન-સુરંગ એઉપયોગ કરે છે તેમને કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ જ હાનિકારક છે. કેન્દ્ર દ્વારા માહિતી આપ્યા બાદ એસસીએ પૂછ્યું કે જો તે ખરાબ છે તો કેન્દ્ર તેના પર પ્રતિબંધ કેમ લગાવી રહ્યું નથી? તેના જવાબમાં મંગળવાર સુધી સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા યોગ્ય સૂચના જારી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે એક અઠવાડિયા પછી સુનાવણી કરશે.