અમદાવાદ,તા.૨૩
રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જાેકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે માંગ કરી છે કે, કોરોના મહામારીમાં સરકારે અનેક રાહતો આપી છે. એવામાં જે શાળાઓની પરિસ્થિતિ સારી નથી તેમને લોન આપવી જાેઈએ. જાે શાળાઓને ફી નહીં મળે તો તેઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓને છુટા કરશે. આવુ થશે તો વિકટ પરિસ્થિતિ પણ ઉદ્દભવશે. રાજ્ય સરકાર સાથે બેસીને અમે નિર્ણય કરવા માગીએ છીએ, સરકાર અમારા તરફી પણ વિચારશે તેવી આશા છે. સરકારના આદેશ બાદથી તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ બંધ કરવાથી છબી બગડશે. સરકારે સ્વનિર્ભર શાળાઓ માટે અને તેમના અસ્તિત્વ અંગે પણ વિચારવું જરૂરી છે. વાલીઓ અમારો પરિવાર છે, એવી જ રીતે અમારા શિક્ષક અને અન્ય કર્મચારીઓ પણ અમારા પરિવારના સભ્યો છે. સરકાર તમામ અંગે વિચારે અને અંતિમ નિર્ણય જલ્દી લે તેવી આશા છે. સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી ફી ના લેવામાં આવે તેવા નિર્ણયથી શાળા સંચાલકો નારાજ છે. ત્યારે કેટલીક શાળાઓએ આ બાબતને માનવીય અભિગમ બતાવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments