વડોદરા શહેરમાં સમાવવામાં આવેલ ગામોમાં હરણીનો પણ સમાવેશ થાય છે. આ ગામની ઓફિસ બહાર વર્ષોથી સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધ પ્રતિમા આવેલ છે. પરંતુ પાલિકાના હાથમાં સત્તાના સૂત્રો આવ્યા પછીથી આ પ્રતિમાની જાળવણીને માટે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લઈને આ સરદારની પ્રતિમા બિસ્માર હાલતમાં આવી ગઈ છે. આજે સરદાર જયંતિએ આ બાબતને સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ ઉજાગર કરીને તંત્રના કાં આમળ્યા હતા.