ગાંધીનગર-
26મી જાન્યુઆરીની ઉજવણી માટે રાજ્ય સરકારે આયોજન પૂર્ણ કર્યું છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યું હતું કે, રાજ્યકક્ષાના 26મી જાન્યુઆરીની ઉજવણીનો કાર્યક્રમ દાહોદ ખાતે કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દાહોદ ખાતે હાજર રહેશે, જ્યારે અન્ય કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને જિલ્લા ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી દાહોદ જિલ્લામાં કરવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે બુધવારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર દેવવ્રત આચાર્ય અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.જ્યકક્ષાની ઉજવણીનો સત્તાવાર કાર્યક્રમ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વૈશ્વિક મહામારી છે, ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments