વડગામ,તા.૮ 

કોરોના લોકડાઉનમાં ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડના પરીવારને તેમજ અન્ય એક હોમગાર્ડ જવાનના પરિવારને જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા ભારતને લોક ડાઉન કરવામાં આવ્યું હતું.જેમાં હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જેમાં પોલીસ સાથે ખભે ખભો મીલાવી હોમગાર્ડ જવાનોએ ફરજ બજાવી હતી.જેમાં ફરજ દરમિયાન પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા શૈલેષભાઇ શ્રીમાળીનું અવસાન થયું હતું.જેના પગલે જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યા દ્વારા અથાગ પ્રયત્નોથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રુ.૪ લાખની સહાય પાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાના હસ્તે મૃતક હોમગાર્ડના પરિવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. છાપી સબ યુનિટના હોમગાર્ડ જવાન મંગાભાઇ રાવળનું સામાન્ય સંજોગોમાં અવસાન થતા તેના પરિવારને રુ.૭૭,૫૦૦નો ચેક આપવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા કમાન્ડર આર.એમ.પંડ્યા,સ્ટાફ ઓફિસર કાયદા અધિકારી મનોજકુમાર ઉપાધ્યાય , હેડ કલાર્ક જે.એન. પરમાર,સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસ,,પાલનપુર ઓફિસર કમાન્ડીંગ પ્રશાંતભાઇ ગૌસ્વામી,છાપી ઓફિસર કમાન્ડન્ટ હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ સહીતના અધિકારી હાજર રહ્યા હતા.